ન્યાય મળ્યો:રૈનાએ 1 સપ્ટેમ્બરે પંજાબના CM પાસેથી સંબંધીઓ પર થયેલા હુમલા અંગે ન્યાય માંગેલો, 16 સપ્ટેમ્બરે CMએ કહ્યું- કેસ સોલ્વ થયો, આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ

  • પઠાણકોટમાં 19 ઓગસ્ટે રૈનાના પરિવાર પર હુમલો થયો હતો, ઘટનામાં તેના અંકલ અને તેમના પુત્રનું અવસાન થયું, ફૈબા હજીપણ હોસ્પિટલમાં છે
  • રૈનાએ પંજાબ સરકારને કહ્યું હતું, આ ઘટનાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડી દેવા જોઈએ નહીં
  • ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે