બિહાર ચૂંટણી: પોલીસને આતંકી-નક્સલી હુમલાનો ભય,એલર્ટ જાહેર

બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર સતત ચાલી રહૃાો છે. દરમિયાન ગુપ્તચર રિપોર્ટ મુજબ ચૂંટણી સભાઓ પર હુમલો થવાની આગાહી કરી છે. આ જોતા બિહાર પોલીસ હેડક્વાર્ટરે તમામ જિલ્લાના એસપી અને તમામ રેન્જના આઈજી-ડીઆઈજીને એલર્ટ જારી કરી દીધું છે. હકીકતમાં, બિહારમાં આ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓની રેલી યોજાવાની છે. આ અંગે બિહાર પોલીસ હેડક્વાર્ટરને બેઠક દરમિયાન હુમલો થવાના સંકેત મળ્યા છે. આ સંકેત બાદ પોલીસે એલર્ટ જારી કર્યું છે.

બિહાર પોલીસે જારી કરેલી ચેતવણીના ભાગરૂપે પીએમ નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિૃત્યનાથ, બિહારના સીએમ નીતીશ કુમાર, વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી સહિતના તમામ વીઆઇપી ચૂંટણી પ્રચારકોની બેઠકમાં સુરક્ષા માટે એલર્ટ જાહેર કરાયું છે.

પીએમ નરેન્દ્ર મોદી ૨૩ ઓક્ટોબરથી બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાનની પહેલી રેલી સાસારામમાં હશે. તે પછી ગયા ભાગલપુરમાં રેલી કરશે. આ સમય દરમિયાન, તે લગભગ બિહારમાં સવા સાત કલાક સુધી રોકાશે. ભાગલપુરની સાથે જ ગયા અને સાસારામમાં સભાને સંબોધન કરશે. ૨૮ ઓક્ટોબરે તેઓ દરભંગા, મુઝફરપુર અને પટનામાં ત્રીજી રેલી કરશે. ૧ નવેમ્બરના રોજ તેઓ છપરા, પૂર્વ ચંપારણ અને સમસ્તીપુરમાં રેલી કરશે. ૩ નવેમ્બરના રોજ પશ્ર્ચિમ ચંપારણ, સહરસા અને અરરિયાના ફારબિસગંજમાં યોજાશે. કુલ મળીને પીએમ મોદૃીની બિહારમાં ૧૨ રેલીઓ થશે.