પાકિસ્તાનની નફટાઇ: ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંત જાહેર કર્યું

પાકિસ્તાને એક વધુ નાપાક હરકત કરી છે. ભારતનો હિસ્સો એવા ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પ્રોવિન્સ જાહેર કરી દીધુ છે. પાકિસ્તાને ચીનના કરજ અને દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે. આ અંગે ભારતે પહેલેથી જ વિરોધ નોંધાવેલો છે. ઈસ્લામાબાદમાં આયોજિત ૭૩મા સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ જાહેરાત કરી.

ઈમરાન ખાને જાહેરાત કરી કે ગિલગિટ બાલ્ટિસ્તાનને બંધારણીય અધિકારો આપવામાં આવશે. અહીં નવેમ્બરમાં ચૂંટણી કરાવવામાં આવશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહૃાું કે ચૂંટણી પ્રક્રિયાના કારણે તેઓ ગિલગિટ-બાલ્ટિસ્તાન માટે વિકાસ પેકેજની હાલ જાહેરાત કે ચર્ચા કરી શકે નહીં. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.

ભારત પહેલેથી જ પાકિસ્તાનના આ પગલાંનો વિરોધ કરતું આવ્યું છે. ઈમરાન ખાનના આ નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાનની અંદર જ પડકાર ફેંકાયો છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓએ મોરચો ખોલી રાખ્યો છે. જમીયત એ ઉલેમા ગિલગિટ બાલ્ટિસ્તાનને પ્રાંત બનાવવા વિરુદ્ધ સતત અવાજ ઉઠી રહૃાો છે. પાકિસ્તાનમાં કહેવાઈ રહૃાું છે કે ઈમરાન ખઆનના આ નિર્ણયથી ભારતનો જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો ફેંસલો કાયદેસર ગણાઈ જશે. પાકિસ્તાન સરકારે વિપક્ષને આ મુદ્દા પર ચૂંટણી બાદ વાત કરવાનું વચન આપ્યું હતું પરંતુ ઈમરાને તે પહેલા જ જાહેરાત કરી દીધી.