રેલવે ૧૫ ઓક્ટોબરથી દૃોડશે ૨૦૦થી વધુ નવી સ્પેશિયલ ટ્રેન

કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!
કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!

ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોય છે. આને કારણે, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પરના ભારને ધ્યાનમાં રાખીને રેલવે વધારાની ટ્રેનો દૃોડાવવાની તૈયારીમાં છે. ૧૫ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર વચ્ચે ૨૦૦ થી વધુ ટ્રેનો દૃોડી શકે છે. રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વી.કે. યાદૃવે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું, “અમે વિવિધ ઝોનલ મેનેજરો સાથે વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે તહેવારોની સીઝનમાં લોકોને અસુવિધાથી બચાવવા માટે કેટલી ટ્રેનોની જરૂર છે, તેથી અમારી પાસે આશરે ૨૦૦ નો આંકડો છે. તેના આધારે, અમે તહેવારની સિઝનમાં વધુ ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે.

ભારતીય રેલવે ૨૫ માર્ચે દૃેશવ્યાપી લોકડાઉન બાદૃ ટ્રેન સેવા બંધ કરી દૃીધી હતી. બાદૃમાં ૧ મેના રોજ અટવાયેલા કામદૃારો, ભક્તો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. તેણે ૧૨ મેથી સ્પેશિયલ એસી ટ્રેનની ૧૫ જોડી અને ૧ જૂનથી ૧૦૦ જોડી ટાઇમ-ટેબલ ટ્રેનો શરૂ કરી હતી. ૧૨ સપ્ટેમ્બરથી વધુ ૮૦ ટ્રેનોનું સંચાલન શરૂ થયું. ત્યારબાદૃ, અનેક વિશેષ ટ્રેનોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને ૨૧ સપ્ટેમ્બરથી પસંદૃગીના રૂટ પર ૨૦ જોડી ’ક્લોન ટ્રેન’ ચલાવવાનું નક્કી કરાયું હતું.