૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે

રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયા હતા, જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયા હતા. ત્યારે સરકારે ૧૦૦ મહેમાનની મંજૂરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે, રોજેરોજ કેસોમાં ઘટાડો થઈ રહૃાો છે ત્યારે સરકાર ઉત્તરાયણ બાદ એટલે કે ૧૫ જાન્યુઆરી પછી કમૂરતાં ઊતરતાં લગ્નમાં ૧૦૦ની જગ્યાએ ૨૦૦ મહેમાનની મંજૂરી આપે એવી શક્યતા છે. બીજી બાજુ, લગ્નમાં માત્ર ૧૦૦ લોકોને જ મંજૂરી અને રાજકીય તાયફાઓમાં ભીડ ભેગી થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં રોષ પ્રવર્તી રહૃાો છે. આ સ્થિતિમાં સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે. હાલમાં રાજ્યમાં ચાર મહાનગરમાં રાત્રિ કર્યૂ રાત્રે ૧૦ વાગ્યાથી અમલમાં છે, એમાં ફેરફાર કરીને રાત્રે ૧૨ વાગ્યાથી કર્યૂ લાદી શકે છે.

૨૨ માર્ચે જ્યારે જનતા કર્યૂ લાગુ થયો હતો, એ પહેલાં જ દૃેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દૃીધો હતો. હવે એને ૨૧ સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ ૨૧ તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં ૧૦૦થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું.

ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીિંનગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી. અમદૃાવાદૃ શહેરમાં ૨૧ અને ૨૨ નવેમ્બરે કર્યૂં લદૃાતાં ૧૭૦૦ લગ્ન પર કર્યૂનું ગ્રહણ લાગી ગયું હતું. કર્યૂ અને નાઈટ કર્યૂ આવતાં વેડિંગ ઇવેન્ટ વ્યવસાય ૮ મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો હતો. અમદાવાદમાં આ સમયે કુલ ૧૭૦૦ લગ્નના બુકિંગ થયા હતા, જે રદ કરવા પડ્યા હતા. માત્ર એટલું જ નહીં, લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા, જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.