સુરતમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો

ચોમાસુ પૂર્ણ થતાંની સાથે જ હવે મચ્છર જન્ય રોગોએ ઉપાડો લીધો છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલ સુરતના ત્રણ ઝોનમાં ડેન્ગ્યુ ના કેસો વધુ મળી રહૃાા છે. જે કેસોને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ઓપરેટ કરવામાં આવી રહૃાા છે. સુરતમાં પ્રતિદિવસ ત્રણથી ચાર જેટલા કેસો ડેન્ગ્યુ ના નોંધાઈ રહૃાા છે. જે કેસોનું પ્રમાણ વધુ ન ફેલાય તે માટે પાલિકાની ૨ હજારથી વધુની સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘટત્તા હવે ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં વધારો થયો છે. પાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયાના વધતા કેસોને લઈ વિસ્તારો જાહેર કરાયા છે. વરાછા એ ઝોન,વરાછા બી અને લિબાયત સહિત ઉધના ઝોન હદ વિસ્તારમાં કેસોનું પ્રમાણ હાલ વધ્યું છે. સામી દિવાળીએ લોકો સાફસફાઈ કરે અને પાણીની ટાંકીઓની સાફસફાઈ રાખે તેવી પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ઓવરહેડ ટાંકીઓ ટેમજ ગાર્ડનમાં કે પશુઓ માટે મુકવામાં આવેલ પાણીના કુંડાની સાફસફાઈ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ ઠેકાણાઓ પર મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે ડેન્ગ્યુના કેસો વધ્યા છે. ઓક્ટોબરના ચાલુ માસ દરમ્યાન ડેંગ્યુના આશરે ૪૦ કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે કેસો વધતા પાલિકા દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે.