કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનું ટૂંકી માંદગી બાદ નિધન

ગુજરાતમાં હાલ પેટાચૂંટણીનો માહોલ જોવા મળી રહૃાો છે. ત્યારે કોરોના કાળમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનું ટુંકી માંદગી બાદ નિધન થયું છે. કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે.

આ વિશે જાણવા મળી રહૃાું છે કે એક મહિનાથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેઓ દાખલ હતા, ત્યારે ટૂંકી માંદગી બાદ ધારસિંહ ખાનપુરાનું નિધન થયું છે. ધારસિંહ ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા. અનેક વખત તેઓ કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાનપુરાના નિધનથી ઠાકોર સમાજના લોકોને મોટી ખોટ પડી છે. કોંગ્રેસના ખાનપુરા ગરીબોના બેલી તરીકે જાણીતા હતા. ધારસિંહભાઈ ખાનપુરા કોંગ્રેસના પીઠ નેતામાંથી એક હતા. આમ હાલ રાજ્યમાં ચાલી રહેલ પેટાચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે એક દુ:ખદ સમાચાર આવ્યાં છે.