અંબાજી દર્શને જતા પરિવારની કારમાં આગ: બે કિશોરી અને વૃદ્ધા થયા ભડથું

આજે અંબાજી દર્શન કરવા જઈ રહેલા અમદૃાવાદૃના એક પરિવારની કારનો ખેરાલુ પાસે અકસ્માત થયો હતો. અકસ્માત બાદૃ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની લપેટમાં આવેલી કારમાં સવાર બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. જોકે કારમાં દૃંપતીનો બચાવ થયો હતો, પરંતુ તેઓ અકસ્માતને કારણે આગથી દૃાઝી ગયાં હતાં. તેમને ખેરાલુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે અકસ્માતને કારણે ૩ વ્યક્તિ ભડથું થતાં તેને થેલી અને કપડાંમાં ઢાંકીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

અમદૃાવાદૃ રહેતા અને મૂળ વડનગરના કરબટિયા ગામના પટેલ પરિવારે આજે વહેલી સવારે અંબાજી દૃર્શનાર્થે જઈ રહૃાો હતો ત્યારે અગમ્ય કારણોસર જીજે૦૧કેઆર૧૫૩૧ નંબરની સીએનજી કિટવાળી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડને અથડાયા બાદૃ એકાએક કારમાં આગ ફાટી નીકળી હતી, જેમાં કરબટિયા ગામના પટેલ પરિવારની બે દૃીકરી અને તેમનાં દૃાદૃી બળીને ભડથું થઈ ગયાં હતાં. પરિવાર અંબાજી દૃર્શને જતો હોવાનું લોકો કહી રહૃાા છે. અકસ્માત બાદૃ પોલીસને ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને કંટ્રોલ કરવો પડ્યો હતો.

આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અંદૃર સવાર દૃાદૃી અને બે પૌત્રી બળી જવાથી તેમનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અકસ્માત બાદૃ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. કચ્છથી િંહમતનગર જઈ રહેલા મધ્યપ્રદૃેશના મજૂરો ભરેલા પિક-અપ ડાલાને ૧૨મી ફેબ્રુઆરીની મોડી રાતે ૨ વાગે ખેરાલુના મલેકપુર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં બે મહિલા, એક બાળક સહિત ૬ લોકોનાં મોત થયાં હતાં, જેમાં એક દૃંપતી હતું. જ્યારે ૭ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ડાલુ હાઇવે પર પડેલા ખાડામાં પટકાયા બાદૃ ચાલકે સ્ટીયિંરગ પરનો કાબૂ ગુમાવતાં ૩૦ મીટર દૃૂર વૃક્ષ સાથે અથડાયું હતું, જેમાં ડાલામાં ઉપર બેઠેલા ૧૫ મજૂરોને માથાંમાં વૃક્ષનાં ડાળાં વાગતાં નીચે પટકાયા હતા.