મમતા ૨૯ ડિસેમ્બરે બીરભૂમમાં રેલી કરશે

Mamta-Amit Shah-મમતા
Mamta-Amit Shah-મમતા

ભાજપ એક ચીટીંગબાજ પાર્ટી છે: મમતા બેનર્જીનો શાહ ઉપર પલટવાર

બંગાળમાં દરરોજ તૃણમૂલ અને ભાજપ વચ્ચેની લડાઈ વધતી જાય છે. ગૃહમંત્રી અમિત શાહનો ૨ દિવસીય બંગાળ પ્રવાસ પૂરો થયાના બીજા જ દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહ બાબતેપ્રશ્ર્નો પર તેમણે કહૃાું કે ગૃહ મંત્રીને ખોટું બોલવું શોભતું નથી અને હું આવતીકાલે તેમના પ્રશ્ર્નોના જવાબ આપીશ. તેમણે વધુમાં કહૃાું હતું કે “ભાજપ ચીિંટગબાજ પાર્ટી છે, રાજકારણ માટે તે કંઈપણ કરી શકે.’

મમતાએ કહૃાું, ’હું ૨૮ તારીખે એક સામેલ થવા માટે બીરભૂમ જઈશ અને ૨૯ તારીખે ત્યાં એક રેલી કરીશ. અમે નાગરિકતા સુધારણા બિલ (સીએએ) નો ત્યારથી વિરોધ કરી રહૃાા છીએ, જ્યારથી આ કાયદૃો પસાર કરાયો હતો. ભાજપ લોકોનું ભવિષ્ય નક્કી કરી શકતું નથી, લોકોને તેમનું ભવિષ્ય નક્કી કરવા દો. અમે સીએએ, એનપીઆર અને એનઆરસીનો વિરોધ કરી રહૃાા છીએ. કોઈપણ વ્યક્તિએ દેશ છોડવાની જરૂર નથી.

શાહે રવિવારે બીરભૂમના બોલપુરમાં એક રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું કે બંગાળ શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં પાછળ જઈ રહૃાું છે અને ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને રાજકીય હિસામાં નંબર વન બની ગયુ છે.