જકાર્તાથી ૬૦ મુસાફરોને લઇને ઉડેલુ વિમાન લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીવિજયા એરલાઇન્સના બોઇંગ પ્લેનએ ઉડાન ભર્યાના ૪ મિનિટમાં સંપર્ક ગુમાવ્યો

વિમાનમાં ૬૨ મુસાફરો સવાર હતા, વિમાનને ૧૦ હજાર ફૂટની ઉંચાઈ માત્ર એક મિનિટમાં ગુમાવતા ટ્રેક કરાઈ

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક લાઈટ ગુમ બતાવાઈ રહી છે. રિપોર્ટ મુજબ વિજયાએરની એક લાઈટ નંબર એસજે ૧૮૨માં ૬૨ મુસાફરો સવાર હતા. આ વિમાનની શોધ અભિયાન ચાલુ કરી દેવાયો છે. અત્યાર સુધી લાઈટના લોકેશન બાબતે કોઈ જાતની જાણકારી મળી રહી નથી. લાઈટ રડાર ૨૪ અનુસાર આ વિમાન બોઈઁગ ૭૩૭-૫૦૦ની શ્રેણીનું છે. જેમાં શનિવારે સંજે જકાર્તાના સોકાર્નો -હટ્ટા એરપોર્ટથી ઉડ્ડયન કર્યું હતું. જણાવાઈ રહૃાું છે કે પ્લેન ટેકઓફ થયાની ૪ મિનિટમાં જ વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

રડાર પર આ વિમાનને ૧૦ હજાર ફૂટની ઉંચાઈ માત્ર એક મિનિટમાં ગુમાવતા ટ્રેક કરાઈ છે. જે પછીથી કોઈ અજુગતુ થવાની આશંકા વધી ગઈ છે. જો કોઈ આટલી ઝડપી વિમાન નીચે આવે છે તો તેના ક્રેશ થવાની સંભાવના વધી જાય છે. આ બાજુ ઈન્ડોનેશિયા સરકારે બચાવ કાર્ય માટે રાહત ટીમોને સક્રિય કરી દીધી છે. ઇન્ડોનેશિયા પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતિએ કહૃાું કે બોઈંગ ૭૩૭-૫૦૦ વિમાન બપોરે લગભગ ૧.૫૬ કલાકે જકાર્તાથી ટેકઓફ થયું હતું. અને લગભગ ૨.૪૦ કલાકે તેનો સંપર્ક તૂટી ગયો છે. તેમણે એક નિવેદૃનમાં કહૃાું કે રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિની સાથે સમન્વય સ્થાપિત કરીને ગુમ વિમાનને લઈને તપાસ કરાઈ રહી છે.

જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે તે પણ બોઈંગ ૭૩૭ મૈક્સ સીરીઝનું બતાવાઈ રહૃાું છે. આ વિમાનની સુરક્ષાને લઈને પહેલા પણ સવાલો ઊભા થયા હતા. સમાચાર તો એવા પણ આવી રહૃાા છે કે બોઈંગ આ વિમાનનું પ્રોડક્શન સુદ્ધા બંધ કરવાનું વિચારી રહી છે. સૌથી મોટી સમસ્યા આના એન્જિનમાં છે. ભલે પેટ્રોલની બચત થાય છે પરંતુ એન્જિન સમસ્યા ને કારણે તેની રફતાર ઘટી શકે છે. અને આ વિમાન બંધ થઈ શકે છે. આ સમસ્યાના નિરાકરણ માટે કંપનીએ એક સ્ઝ્રછજી નામનું સોટવેર વિમાનમાં લગાવ્યું છે. પરંતુ ઘણી વખત આ સોટવેર પણ ખોટું દિશાનિર્શદે કરી દે છે. જેને કારણે વિમાન દૃુર્ઘટનાગ્રસ્ત થવાની સંભાવના વધી જાય છે.