સુશાંત આત્મહત્યા કેસ: એનસીબીએ ફરાર ડ્રગ પેડલર રીગલ મહાકાલની ધરપકડ કરી

બોલિવૂડના દિૃવંગત અભિનેતા સુશાંત િંસહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ફરાર રહેલા ડ્રગ પેડલર રીગલ મહાકાલની ધરપકડ કરી હતી. અનુજ કેશવાણીનીને રીગલ મહાકાલ ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જે આગળ અન્ય લોકોને સપ્લાય કરતો હતો. આ ધરપકડ બાદૃ એનસીબીની ટીમ મિલ્લત નગર અને લોખંડવાલામાં દૃરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહૃાું છે કે અહીંથી અત્યાર સુધીમાં ૨.૫ કરોડ રૂપિયાનું ડ્રગ મળી આવ્યું છે.

મળતી માહિતી મુજબ રીગલ મહાકાલ અનુજ કેશવાનીને ડ્રગ્સ સપ્લાયર કરતો હતો, જે આગળ રિયા ચક્રવર્તી અને સુશાંતિંસહ રાજપૂતને સપ્લાય કરતો હતો. રીગલ પાસેથી મળેલી માહિતી બાદૃ એનસીબી હાલમાં અંધેરી પશ્ર્ચિમ વિસ્તારમાં દૃરોડા પાડી રહી છે.

એનસીબીની ટીમનું નેતૃત્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કરે છે. આ દૃરોડામાં અત્યાર સુધીમાં ઉચ્ચ ગુણવત્તાની મલાણા ક્રીમ અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહૃાું છે કે આરોપી, જે હાલમાં આરોપીને ત્યાં દૃરોડા પાડવામાં અવી રહૃાા છે, તે રીગલ મહાકાલને ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે. ઉપરાંત, એનસીબીના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે રીગલ બી-ટાઉનની કેટલીક હસ્તીઓ સાથે સંકળાયેલ છે. આપને જણાવી દૃઈએ કે, એનસીબી લાંબા સમયથી રીગેલની શોધ કરી રહી હતી. રીગલની ધરપકડ બાદૃ પૂછપરછમાં એનસીબીને ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.