હું અહીંયા નેહા મહેતા બનવા આવી નથી, હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:નવાં અંજલિભાભીએ કહૃાું

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે અંજલિભાભી તરીકે એક્ટ્રેસ સુનૈના ફોઝદાર જોવા મળે છે. છેલ્લાં ૧૨ વર્ષથી નેહા મહેતા અંજલિભાભીના રોલમાં જોવા મળતી હતી. લૉકડાઉન બાદથી ફરીવાર શુટિંગ શરૂ થયું તો તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુનૈના ફોઝદારને લેવામાં આવી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ આ શો અંગે વાત કરી હતી. તેણે કહૃાું હતું, હું માનું છું કે દર્શકોને પોઝિટિવ તથા નેગેટિવ ફિડબેક આપવાનો પૂરો હક છે. અમને જે પણ લોકપ્રિયતા મળી તે માત્રને માત્ર દર્શકોને કારણે જ મળી છે. તેથી જ દર્શકોના વખાણની સાથે સાથે તેમના નેગેટિવ ફિડબેક માટે પણ હું તૈયાર છું. મને ખ્યાલ છે કે મારી તુલના થશે, કારણ કે આ શો ઘણો જ લોકપ્રિય છે અને ચાહકોને આ પાત્ર ઘણું જ પસંદ છે.’

વધુમાં સુનૈનાએ કહૃાું હતું, ’હું માનું છું કે દરેકને તક મળવી જોઈએ. હું અહીંયા નેહાજી (એક્ટ્રેસ નેહા મહેતા, જૂનાં અંજલિભાભી) બનવા માટે આવી નથી. હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ. હું મારા ચાહકોને કારણે અહીંયા છું અને હું કોઈની પણ અવગણના કરવાની નથી. કેટલાંક લોકો કહે છે કે મારો અવાજ આવો છે અને બીજી ઘણી વાતો કહી છે. અલગ-અલગ પ્રકારે મારી તુલના થઈ રહી છે. હું માત્ર એટલું જ કહીશ કે હું અહીંયા કોઈનું સ્થાન લેવા આવી નથી. હું અહીંયા મારી પોતાની ઓળખ બનાવવા આવી છું. હું ઈચ્છું છું કે દર્શકો મને તક આપે અને પ્રેમ કરે.’