પંજાબ આઇપીએલમાંથી બહાર થતાં પ્રિતી ઝીંટાએ ટીમ-પ્રશંસકોને ભાવુક મેસેજ લખ્યો

લીગમાં પંજાબની ટીમ તેનો સફર પુરો કરી ચુકી છે. ચેન્નાઇના હાથે મળેલી નવ વિકેટે હાર બાદ ટીમનુ પ્લેઓફમાં પહોંચવાનુ સપનું રોળાઇ ગયુ હતુ. પંજાબે આ સિઝનમાં ૧૪ મેચ રમી હતી જેમાંથી છ મેચોમાં જીત મેળવી હતી, જ્યારે આઠ મેચમાં પંજાબે હાર નો સામનો કર્યો હતો.

ટીમની કો-ઓનર પ્રિતી ઝીન્ટાએ સિઝનની બહાર જવાને લઇને એક મેસેજ લખ્યો છે. ટીમ અને તેના પ્રશંસકો માટે એક ભાવુક મેસેજ લખ્યો છે, સાથે જ આગામી વર્ષે સારી સિઝનની પણ આશા દર્શાવી છે.

પ્રિતી ઝીંન્ટાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે એક ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, સમય આવી ચુક્યો છે હવે આઇપીએલ અને દુબઇને ગુડ બાય કહેવાનો. આ સિઝન એવી નહોતી રહી જેવી અમે ચાહી હતી, જોકે અમે મોટી, જોરદાર અને મજબુત વાપસી કરીશુ. ખુબ રોમાંચક પળ, હાર્ટ ઐટેક, હાઇ, લો અને યાદગાર પળ. અમે જેટલી વિચારી હતી એના કરતા ટુંકી યાત્રા હતી. જોકે હું પંજાબના પ્રશંસકોનો આભાર કરવા માંગુ છુ, અમારી સાથએ ઉભા રહેવા માટે, અમને સપોર્ટ કરવા માટે. ધન્યવાદ આટલા શાનદાર રહેવા માટે. તમે બધા અમારી જાન છો.