તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઐય્યરે કહૃાું, ’ભગવાનની ઈચ્છા હશે તો ૨૦૨૧માં લગ્ન કરી લઈશ

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં જ ૩૦૦૦ એપિસોડ પૂર્ણ કર્યા હતા. આ શોના દરેક પાત્રનો આગવો ચાહકવર્ગ છે. શોમાં ક્રિશ્ર્નન ઐય્યર બનતા તનુજ મહાશબ્દેએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં લગ્ન અંગે વાત કરી હતી. સિરિયલમાં તો તેને બબીતાજી (મુન મુન દત્તા)નો પતિ બતાવવામાં આવ્યો છે, પરંતુ રિયલ લાઈફમાં તેણે હજી સુધી લગ્ન કર્યા નથી. તનુજ મહાશબ્દૃેએ એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તે ૨૦૨૧માં લગ્ન કરવા માગે છે. તેણે કહૃાું હતું કે જો ભગવાનની ઈચ્છા હશે તો તે આવતા વર્ષે લગ્ન કરી લેશે.

તનુજને જ્યારે સિરિયલમાં તેની પત્ની બનતી બબિતા સાથે કેવા સંબંધો છે? તે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે તેઓ સારા મિત્રો છે પરંતુ તેઓ માત્ર આ શો સાથે જ જોડાયેલા છે. આ શો સિવાય તેમની વચ્ચે ખાસ કોઈ કનેક્શન નથી. હાલમાં જ એક અન્ય ઈન્ટરવ્યૂમાં તનુજ મહાશબ્દૃેએ કહૃાું હતું, ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ મને લોકપ્રિયતા અપાવી છે પરંતુ તે માત્ર ને માત્ર ક્રિશ્ર્નન ઐય્યરને અપાવી છે.

તનુજ મહાશબ્દૃેને આજે પણ કોઈ ઓળખતું નથી. ઐય્યર લોકપ્રિય થયો છે, તનુજ નહીં. મારી ઈચ્છા છે કે તનુજ લોકપ્રિય થાય. ચાહકો માત્ર ઐય્યરના પાત્રને જ યાદ ના રાખે પરંતુ તે પાત્ર કોણે ભજવ્યું હતું, તે પણ યાદ રાખે તેમ હું ઈચ્છું છું. તનુજ મહાશબ્દૃેએ આ સિરિયલની તથા અન્ય કેટલીક સિરિયલની સ્ક્રિપ્ટ લખી છે. તનુજે વધુમાં કહૃાું હતું કે તે આ સિરિયલથી લોકપ્રિય એક્ટર બન્યો પરંતુ તેણે રાયટિંગ બંધ કર્યું નથી. તે આજે પણ સ્ક્રિપ્ટ લખે છે.