આયુષ્માન ખુરાના અને વાણી કપૂર પહેલીવાર લવ સ્ટોરી ’ચંદીગઢ કરે આશિકી’ ફિલ્મમાં સાથે દેખાશે

આયુષ્માન ખુરાના અને વાણી કપૂર પહેલીવાર સાથે ફિલ્મમાં દેખાવાના છે. ’કેદારનાથ’ ફેમ ડિરેક્ટર અભિષેક કપૂરની પ્રોગ્રેસિવ લવ સ્ટોરી ’ચંદીગઢ કરે આશિકી’માં બંને પહેલીવાર સ્ક્રીન શેર કરશે. ફિલ્મનું શુટિંગ ચંદીગઢમાં શરૂ થઇ ગયું છે. ભૂષણ કુમાર અને પ્રજ્ઞા કપૂર ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. આ માહિતી એક્ટર્સે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. તેમાં આયુષ્માનનો ટ્રાન્સફોર્મ થયેલો નવો લુક જોવા મળ્યો છે.

આયુષ્માને કો-સ્ટાર વાણી અને ડિરેક્ટર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે, ’નેક્સ્ટ સ્ટોપ. મારું હોમટાઉન ચંદીગઢ પહેલીવાર અભિષેક કપૂરની ડિલાઇટફુલ પ્રોગેસિવ લવ સ્ટોરી ચંદીગઢ કરે આશિકીનો ભાગ બનીને ઉત્સુક છું. અગાઉ ડિરેક્ટરે કહૃાું હતું કે, ’હું સેટ પર આયુષ્માન અને વાણી સાથે કામ કરવા માટે ઉત્સુક છું. મને ભરોસો છે કે આ કોમ્બો આગ લગાવી દેશે.’ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

લોકડાઉન ખુલ્યા બાદ આયુષ્માન તેના પરિવાર સાથે હોમટાઉન ચંદીગઢમાં જ છે. આ ફિલ્મ સિવાય વાણી કપૂર અક્ષય કુમાર સાથે ’બેલ બોટમ’ ફિલ્મમાં દેખાશે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું શુટિંગ પૂરું થયું છે.