આવનારા ૨૦ વર્ષ સુધી કોરોના વાયરસ રહેશે : સીરમ ઇન્સ્ટિટ્યુટનો દાવો

વિશ્ર્વના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે, તો પણ તેની જરુર તો પડશે જ

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહૃાો છે. દુનિયાભરના લોકો રાહ જોઇ રહૃાા છએ કે ક્યારે કોરોનાની વેક્સીન આવે ને ક્યારે આ મહામારીમાંથી છુટકારો મળે. દુનિયાની અનેક દિૃગ્ગજ કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વેક્સીન અંગે સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે દૃુનિયાની અગ્રણી વેક્સીન નિર્માતા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટે દાવો કર્યો છે કે કોરોના વાયરસની મહામારી એમ જલ્દી જવાની નથી, આવનારા બે દશક સુધી કોરોના વાયરસની આ બીમારી રહેશે.

સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલાએ એક વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું છે કે આવનારા ૨૦ વર્ષ સુધી કોરોના વાયરસનો ફેલાવો થતો રહેશે અને લોકોને તેનો ચેપ લાગશે. અને ત્યાં સુધી વેક્સીનની જરુર પણ રહેશે. પૂનાવાલાએ આગળ કહૃાું કે ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે કોઇ પણ રસીની જરુરિયાત એક જ વારમાં પુરી થઇ ગઇ હોય. જેના માટે તેમણે ન્યુમોનિયા, લુ વગેરે બીમારીઓના ઉદાહરણ આપતા કહૃાું કે આ તમામ બીમારીઓની વેક્સીન વર્ષોથી વપરાય છે અને હજુ પણ તેનો વપરાશ શરુ જ છે. ત્યારે કોરોના વેક્સીન સાથે પણ આવું થઇ શકે છે.

પૂનાવાલાએ જણાવ્યું કે જો વિશ્ર્વના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે, તો પણ તેની જરુર તો પડશે જ. વેક્સીન એ કોઇ ઠોસ ઉપાય નથી, તેના વડે માત્ર ઇમ્યુનિટી જ વધે છે. વેક્સીનના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન થાય છે. જે તમને બીમારીથી બચાવે છે, પરંતુ ૧૦૦ ટકા નહીં.

ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓક્સફર્ડ યુનિવર્સિટિ સાથે મળીને કોવિશીલ્ડ નામની વેક્સીન બનાવી રહી છે. આ વેક્સીન અત્યારે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે.