કોરોના વાયરસ શિયાળામાં વધુ કહેર મચાવશે, ૬ ફૂટનું અંતર પણ કામ નહીં આવે

એક રિસર્ચ રિપોર્ટમાં થયો ખુલાસો

જ્યારે સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈ ત્યારે એવું કહેવાતું હતું કે ઉનાળાની ઋતુમાં ગરમીમાં કોરોના વાયરસ ખતમ થઈ જશે. પરંતુ, એવું કશું થયું નહીં. કારણકે ગરમીમાં પણ કોરોના વાયરસના ડ્રોપલેટ્સ હવામાં ફેલાઈ રહૃાા હતા. ત્યારે હવે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે શિયાળામાં કોરોના વાયરસ વધુ પ્રમાણમાં ફેલાઈ શકે છે. ’નેનો લેટર્સ’ જર્નલમાં છપાયેલા એક સ્ટડી મુજબ શિયાળામાં કોરોનાના સંક્રમણનો ખતરો વધી શકે છે.

આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સના જે નિયમોનું પાલન કરવામાં આવી રહૃાું છે તે પૂરતું નથી. કારણકે કોરોના વાયરસના ડ્રોપલેટ્સ ૬ ફૂટ કરતા વધારે અંતર સુધી ફેલાઈ શકે છે. એવી જગ્યાઓ કે જ્યાં તાપમાન ઓછું હોય અને ભેજ વધુ હોય ત્યાં આ ડ્રોપલેટ્સ ૬ મીટર સુધી ફેલાઈ શકે છે. બાદમાં તે જમીન પર પડે છે. આ રિસર્ચમાં જણાવ્યા મુજબ તેવામાં આ વાયરસ એક મિનિટથી લઈને એક દિવસ સુધી સંક્રમણ ફેલાઈ શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઠંડી અને ભેજવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ વધુ હોય તે જરૂરી છે. લોકોએ એ વાત પણ સમજવાની જરૂર છે કે પોતપોતાના સ્થળના તાપમાન અને વાતાવરણના આધારે લોકોએ આ વાયરસથી બચવું પડશે. આ ડ્રોપલેટ્સ કલાકો સુધી હવામાં રહે છે અને શ્ર્વાસ લેતી વખતે તેનું સંક્રમણ ફેલાય છે. માટે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે.

અહીં નોંધનીય છે કે સમગ્ર દૃુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૩૮,૮૧૬,૯૩૩ કેસ નોંધાયા છે અને કુલ ૧,૦૯૮,૦૩૭ લોકોના કોરોનાના કારણે મોત થાય છે. અત્યાર સુધીમાં કુલ ૨૯,૧૬૩,૨૮૩ લોકો કોરોના વાયરસમાંથી રિકવર થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭,૩૦૯,૧૬૪ કેસ નોંધાયા છે અને ૧૧૧,૩૩૭ દૃર્દૃીઓના કોરોનાના કારણે મોત થયા છે.