૨૩ નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ ખોલવા સૂચન કર્યું

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા એએમએની સરકારને રજૂઆત

એકતરફ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહૃાો છે અને આગામી દિવસોમાં કેસમાં વધારો થતા પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પુરી શકયતા છે. તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, તેના પર વિચારણા કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબી નિષ્ણાતોએ ૨૩ નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ ખોલવા સૂચન કર્યું છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉનન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી માંડીને આજ દિન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું અને દિવાળી બાદ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર રાજ્ય સરકાર પહોંચી હતી.

આ માટે ૨૩ નવેમ્બરની તારીખ અને સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. પણ દિવાળીના તહેવારમાં કોરોનાના વધતા કેસોનો અભ્યાસ કરતા સંક્રમણની ગંભીરતા વધી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો પણ માની રહૃાા છે કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહૃાો છે. જાણે કે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ પરિસ્થિતિને જોતા સરકાર ૨૩ નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તેમા ફેર વિચારણા કરવી જરૂરી છે. ૨૩ નવેમ્બરથી વર્ગો શરૂ કરવાની વાત છે તેની જગ્યાએ હજુ એક અઠવાડિયાની રાહ જોવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. એટલે કે ૨૩ની જગ્યાએ ડિસેમ્બરમાં શાળા ખોલવામાં આવે તેવું સૂચન તબીબોએ કર્યું છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલનું માનવું છે કે, હાલમાં કેસ વધી રહૃાા છે અને લાભ પાચમ સુધી કેસ વધી શકે છે. જેથી સ્કૂલ ખોલવાની તારીખમાં અઠવાડિયું રાહ જોવી જોઈએ. બીજીતરફ વાલીઓ પણ માની રહૃાા છે કે કોરોના સંક્રમણને લઈ હાલમાં બાળકોને શાળાએ મોકલવા ખતરા રૂપ બની શકે છે .મહત્વનું છે કે, નવરાત્રી સમયે પણ આ તબીબોએ નવરાત્રી નહિ યોજવાની સરકારને અપીલ કરી હતી. જેને ધ્યાને રાખીને સરકારે નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનો નિર્ણય કર્યો હતો.