મોરબી કોંગ્રેસના ઉમેદવારે જીતશે તો તમામ પગાર જનતાની સેવામાં વાપરવાની કરી જાહેરાત

મોરબી પેટા ચૂંટણી જંગ પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઇ છે. જ્યારે પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે વચન આપ્યું છે કે, ધારાસભ્ય બન્યા બાદ તેઓ ૨૨ મહિનાનો અંદાજીત ૨૪ લાખથી વધુનો પગાર મોરબી-માળિયાની જનતાની સેવામાં વાપરશે.

આ વિચાર ક્યાંથી આવ્યો તે અંગે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન છેવાડાના વિસ્તારમાં ગરીબોને જોયા ત્યારે નક્કી કર્યું કે, મોરબી-માળિયા મત વિસ્તારમાં એકપણ નાગરિક ભૂખ્યો સુવો ના જોઈએ. જેથી ધારાસભ્ય બન્યા બાદ જે પગાર તેમજ ભથ્થા મળે છે. તે તમામ રકમ નાગરિકોના હિત માટે વાપરશે. એટલું જ નહિ ધારાસભ્યને જે ગાંધીનગરમાં પ્લોટ ફાળવવામાં આવે છે. તે પ્લોટનો અંગત હેતુથી ઉપયોગ ના કરીને મોરબીના લોકોની સુવિધા માટે મોરબી સેવાસદૃન બનાવશે. જેથી મોરબીના રહીશો જયારે ગાંધીનગર જાય તો તેમને સુવિધા મળી રહે.