દિવાળીમાં ફરસાણ-મીઠાઈમાં મિલાવટ કરનારાઓ પાસેથી ૧૭ કરોડનો દંડ વસૂલાયો : ડો.કોશિયા

દિવાળીનો તહેવાર આવતા જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. કારણ કે, દિવાળીમાં આરોગ્યને નુકસાપ્રદ નાસ્તા અને મીઠાઈનું વેચાણ પણ થાય છે. ત્યારે આવામાં અરોગ્ય વિભાગ દરોડા પાડીને ચકાસણી કરતું હોય છે. ત્યારે આ વિશે રાજ્યના ફૂડ એન્ડ સેટી ડ્રગ વિભાગના કમિશનર ડો. એસજી કોશિયાએ જણાવ્યું કે, ફૂડ એન્ડ સેટી ડ્રગ ડિપાર્ટમેન્ટ ફૂડ સેટી માટે ટોપ પ્રાયોરિટી રાખે છે. ફરસાણ અને મીઠાઈનો તહેવારમાં વપરાશ વધે છે. કેટલાક લેભાગુ લોકો ખોરાકમાં મિલાવટ કરે છે. સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે વિભાગ દ્વારા ફૂડ સેટી ટીમો તપાસ કરી રહી છે. તેઓએ વધુમાં કહૃાું કે, દશેરા બાદ ૩ હજાર સેમ્પલ રાજ્યભરમાંથી લેવાયા છે. ૭ ટન જેટલો માલ નાશ કરવામાં આવ્યો છે.

સેમ્પલની તપાસ ચાલી રહી છે જે સેમ્પલ નિષ્ફળ જશે તેની સામે કાર્યવાહી થશે. દુકાનોમાં સાફ સફાઈ બાબતે નિર્દૃેશો આપવામાં આવ્યા છે. વર્ષે દિવાળીમાં રેગ્યુલર ૧૫ હજાર સેમ્પલ લેવાય છે. ૬થી ૮ ટકા સેમ્પલ નિષ્ફળ જાય છે. જાણી જોઈને કેટલીક જગ્યાએ મિલાવટ થાય તેવા કેસ ૦.૨૫ ટકા છે. ૧૪ દિૃવસમાં રિપોર્ટ આપી દેવામાં આવે છે. સબ સ્ટાન્ડર્ડ સામે કાર્યવાહી થાય છે. મિલાવટ કરનાર સામે ૨ લાખનો દંડ થાય છે. આજ સુધી ૧૭ કરોડનો દંડ વસૂલાયો છે. ક્રિમીનલ પ્રોસીડીંગમા ૪૦૫ થી વધુ કેસો કોર્ટમાં દાખલ થયા છે. કેવા કેવા પ્રકારની મિલાવટ થાય છે તે વિશે ડો.કોશિયાએ જણાવ્યું કે, દુધમાં મિલ્ક ફેટ નીકળતા હોય છે. જેમાં ફેટની ભેળસેળ થાય તો તપાસ થાય છે. મીઠાઈમાં કલરની હલકી માત્રાની ભેળસેળ થાય છે.