કચ્છના અનેક વિસ્તારોમાં ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ, કેંદ્રબિંદુ અંજારથી ૧૨ કિલોમીટર દુર

વહેલી સવારે ધરા ધ્રુજી…!
વહેલી સવારે ધરા ધ્રુજી…!

કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી હતી. કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સવારે ૮ વાગ્યેને ૧૮ મિનિટે આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૬ નોંધાઈ હતી. ભૂકંપનું કેંદ્રબિંદુ અંજારથી ૧૨ કિલોમીટર દુર નોંધાયું હતું. ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પહેલા ત્રણ દિવસ અગાઉ ૨૨ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂંકપના ૧૦ આંચકા અનુભવાયા હતા. જેમાં પોરબંદરમાં ભૂંકપના અલગ અલગ તીવ્રતાના સાત આંચકા અનુભવાયા હતા. જામનગરના લાલપુરમાં રાત્રે બે આંચકા અનુભવાયા હતા જેની ૧.૯ અને ૨.૧ ની તીવ્રતા નોંધાઈ હતી અને કચ્છના દુધઇથી ૧૦કિમી દુર ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો જેની રિક્ટ સ્કેલ પર ૨.૦ ની તીવ્રતા નોંધાઈ હતી. આમ વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં પણ ભયનો માહોલ બની ગયો છે.