સુરેન્દ્રનગરમાં પાક નુકસાની મામલે વીમા કંપનીઓને નાણા ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

સુરેન્દ્રનગરમાં જુલાઇ ૨૦૧૭માં પૂરના કારણે થયેલા નુકસાની મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ૨૦૧૭માં પૂરના કારણે સુરેન્દ્રનગરમાં પાક નુકસાની મામલે વીમા કંપનીઓને નાણા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. પાક નુકસાનીને લઇને ૨૦ અરજદારોએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ૩ મહિનામાં પાક વીમા અંગે નિકાલ લાવવા હાઇકોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે. પ્રીમિયમ ભર્યું હોવા છતાં રકમ નમળી હોવાનો ખેડૂતોએ હાઇકોર્ટમાં દાવો કર્યો છે.વર્ષ ૨૦૧૭માં પુરના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને પાકને નુકસાન થયું હતું. વીમા કંપનીઓ મનમાની કરતી હોવાની ખેડૂતોને પાકને નુકસાન થયું હતું.