સુરતના અલથાણમાં કાપડના વેપારીએ માનસિક તણાવમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત

અલથાણના એક કોમ્પ્લેક્સમાં કાપડના વેપારીએ ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. હરિયાણાના વતની એવા ૨૮ વર્ષીય કરણ ધર્મેન્દ્ર ઢીંગણ લોકડાઉન બાદ માનસિક તણાવમાં રહેતા હતા. સોમવારની મોડી સાંજે દીકરાની શોધમાં નીકળેલા પિતાને પુત્રના જ નવા ફલેટમાંથી દીકરાનો લટકતો મૃતદૃેહ મળી આવ્યો હતો.

દીકરાના લટકતા મૃતદેહને ઉતારીને પિતા ઘટના ગણતરીના સમયમાં જ ઘટના બની હોવાની આશામાં પિતા પોતાની મોપેડ પર દીકરાના મૃતદેહને સિવિલ લઈ આવ્યા હતાં.સિવિલ હોસ્પિટલમાં લવાયેલા દીકરાને હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.જેથી પિતા પર દુ:ખનું આભ તૂટી પડ્યું હતું. કરણ ઇચ્છાનાથ પાસેની રાધેનગર સોસાયટીમાં રહેતો હતો.

તેનો એક ભાઈ ગાંધીનગર રહેતો હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉનના આઠ મહિનાથી કરણ માનસિક તણાવ વચ્ચે કાપડની દુકાન શરૂ કરવાનું આયોજન કરી રહૃાો હોવાની વાત બહાર આવી છે. એટલું જ નહીં પણ પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.