પ્રેમી સાથે ભાગેલી ૧૭ વર્ષની સગીરાને પ્રેમી અધવચ્ચે તરછોડી ફરાર

શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદૃ પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. ૧૭ વર્ષની સગીરા તેના પિતાને સોરી, સોરી, સોરી, આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે એચલે બાદૃમાં પ્રેમીના ધાંગધ્રા ખાતેના ગામ ગઈ પરંતુ બાદૃમાં તેને જાણ થઈ કે પોલીસ ફરિયાદૃ થઇ ગઇ છે, જેના કારણે તેના પ્રેમીએ તેને વિરમગામ એકલી મૂકી દૃીધી હતી અને સગીરાના પરિવારને જાણ કરી દૃીધી હતી.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા બ્યુટી પાર્લનું કામ શિખતી હતી. ત્યારે તેની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદૃમાં આ જે યુવતી હતી તેના ભાઈ સાથે પણ તેની મિત્રતા થઇ. ત્રણેક વર્ષ સુધી સગીરા અને યુવક વચ્ચે મિત્રતા રહી પરંતુ છેલ્લા છ મહિનાથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પરિવારને જાણ થતાં તેની સાથે સંબંધ ન રાખવાનું કહેતાં આ સગીરા એક દિૃવસ તેના પિતાને એક ચિઠ્ઠી લખી ઘરેથી પ્રેમી સાથે નીકળી ગઈ હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે યુવકનું જે ગામ છે ત્યાં સગીરા અને તેનો પ્રેમી હોઈ શકે છે અને બાદૃમાં પોલીસે તપાસ તેજ કરી અને સગીરાની ભાળ મેળવી.

ફરાર થતા પહેલા સગીરા એક ચિઠ્ઠી લખીને ગઈ હતી. જેમાં તેણે પિતાની માફી માગી હતી. જેમાં લખ્યું કે સોરી હું એક યુવકને ખૂબ જ પ્રેમ કરૂ છું અને તેની સાથે લગ્ન કરી લીધા છે. શોધખોળ કરવી નહીં. જોકે ફરિયાદૃ બાદૃ પોલીસે આરોપીની તપાસ કરતા તે ધ્રાંગધ્રા હોવાનું સામે આવ્યું. પોલીસે સગીરા બાબતે તપાસ કરી તો ફરિયાદૃ થઈ હોવાથી પ્રેમીએ સગીરાને વિરમગામ રોડ પર તરછોડી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાની ભાળ મેળવી અને બાદૃમાં આરોપીની ધરપકડ કરી હતી.

નવાઈની વાત તો એ છે કે ફિલ્મી કહાની જેવી પ્રેમ કહાનીમાં જ્યારે સગીરા ભાગી હતી ત્યારે સૌ પ્રથમ તેને પોતાની ઉંમર નાની છે તે બાબતનો પણ જાણે કે ખ્યાલ ન હોય તેમ તે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ અમદૃાવાદૃમાં અનેક જગ્યાઓ પર ફરી ત્યારે તેના લગ્ન ૧૭ વર્ષની ઉંમરે શક્ય ન હોવાનું તેને જાણવા મળ્યું અને બાદૃમાં તે તેના પ્રેમી સાથે ધાંગધ્રા પહોંચી, પરંતુ બાદૃમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે તે વાતની પ્રેમીને જાણ થતાં તેણે તેની સગીર પ્રેમિકાને તરછોડી મૂકી અને અંતે પ્રેમ કરવાનું માઠું પરિણામ સગીરાને મળ્યું. સગીરાએ પ્રેમી પણ ગુમાવ્યો અને પિતા સાથે કરેલા વર્તનને પણ ભૂલ તરીકે સ્વીકારી.